ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ અને ધોરણ 1 થી 8 ની તમામ સરકારી શાળાઓ નું મહેકમ વર્ષ મુજબ હોય છે . શાળાઓમાં વિદ્યાર્થી ની સંખ્યા ના પ્રમાણ માં શિક્ષકો ની સંખ્યા મળતી હોય છે . આપણે અહીંયા બાલવાટિકા ,ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની સંખ્યા નું સેટઅપ 2023/2024 કેટલી સંખ્યા ના આધારે મળશે તેનો વિગતે અભ્યાસ અહીંયા આપવાનો પ્રયત્ન કરેલ છે.
11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે
મહત્ત્વપૂર્ણ પરીપત્ર
સેટઅપ બાબત નો પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ 2023/24
વર્ષ 2023/24 ના વર્ષ માં ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શાળાઓ માં નવીન બાલવાટિકા ઓ શરુ કરવામાં આવી છે. 2023/24 નું મહેકમ જુલાઈ 2023 નું ગણવામાં આવશે. આધાર ડાયસ ના રજીસ્ટ્રેશન મુજબ ની સંખ્યા લેવામાં આવશે
શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે પત્ર
વર્ષ 2023 /2024 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ અને સેટ અપ માટે નિયામક કચેરી અને શિક્ષણ વિભાગ દ્રારા પત્ર થયેલ છે. તા 27.7.2023
શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે કોષ્ટક
- વર્ષ 2023 /24 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ નીચે કોષ્ટક મુજબ રહેશે.દર વર્ષે ધોરણ વિદ્યાર્થી સંખ્યા અને તેની સામે કુલ મળવાપાત્ર શિક્ષક આ અંગે ની માહિતી સરકાર વિવિધ ઠરાવ ,પરિપત્ર દ્રારા જાહેર કરે છે . વર્ષ 2022 થી બદલી ના નવા નિયમો અને 2023 માં સુધારેલ નિયમો માં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ જાહેર કરવાંમાં આવ્યું છે .આ પ્રમાણ 11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે .
શિક્ષક વિધાર્થી પ્રમાણ મજુર પદ્ધતિ
વિદ્યાસહાયકશિક્ષક/મુખ્યશિક્ષકના વિધાર્થી પ્રમાણ અનુસાર શાળાવા૨ મહેકમ દર વર્ષે 30 મી જુલાઈ ની સ્થિતિએ શાળાના સામાન્ય વયપત્રક (જી.આ૨.) પર નોંધાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવી વિધાર્થી સંખ્યાના આધારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ એ મંજૂર કરવાનુ રહેશે. નિયામકશ્રી દ્વારા મંજૂર કરેલ મહેકમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકાવાર મંજૂ૨ ક૨શે તથા તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીએ શાળાવાર મંજૂર મહેકમની જાણ શાળાઓને કરવાની રહેશે તથા આ મંજૂર મહેકમ આગામી નવુ મહેક્મ મંજૂર ન થાય ત્યાં સુધી માન્ય ગણવાનુ રહેશે. દરેક શાળામાં પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) માં વિદ્યાર્થી સંખ્યાના આધારે જુદા જુદા વિભાગ/વિષયમાં RTE ACT 2009 ના પરિશિષ્ટ મુજબ .